આજથી લગભગ સીત્તેર એંશી વર્ષ પહેલા ભારતની સ્ત્રીઓનુ કાર્ય ઘરકામ અને રસોઇ સુધી જ સીમીત રહેતું ત્યારે કોઇ કન્યા સ્પર્ધામાં ઉતરે અને એ પણ તરવાની એ વાત સમાજ માટે નવાઇ ભરી હતી. કારણ કે એક સ્ત્રી તરતી વખતે જે વસ્ત્રોપહેરે, એ જ સમાજમાં ચર્ચાનો વિષય બની જાય તો પછી તરવાની તો વાત જ ક્યાં આવે.ભારત એક એવો દેશ છે જ્યાં સ્ત્રીઓને ઘર બહાર જવા માટે સાથ અથવા કે પરવાનગી લેવી પડતી છતાંય ભારતની સ્ત્રીઓએ અનેક વીટંબણાઓને પાર કરી નવા વિક્રમોનું સર્જન કર્યું છે.
બંગાળના આરતીસાહાએ દરેક અડચણો પાર કરી તરવાની સ્પર્ધામા પ્રથમ આવીને ભારતની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ સ્થાપ્યુ હતુ.
સ્ત્રી હોય કે પુરુષ દરેક ને સફળતા પ્રિય હોય છે.રમતગમત અને અન્ય ક્ષેત્ર ના ખેલાડીઓને સફળતા હાંસલ કરવા ખુબ મેહનત કરવી પડતી હોય છે.છતાંય સફળતા મેળશે ખાત્રી નથી હોતી.પણ છેવટ સુધીનો સંઘર્ષ કરવાની વૃત્તિ મોડી વહેલી સફળતા અપાવે છે.અમુક વર્ષો પેહલા ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રો માટે સુવિધાઓ મળતી નહોતી ત્યારે આરતી સાહાએ આર્થિક અને સામાજિક વિઘ્ન પાર કરી આગવી ઓળખ મેળવી હતી.
આરતી સાહાનો જન્મ 24 સપ્ટેમબર,1940 માં કોલકત્તામાં સાધારણ બંગાળી પરિવારમાં થયો હતો.પિતાનુ નામ પંચુગોપાલ સાહા.ત્રણ સંતાનોમા આરતી બીજુ સંતાન અને બે બહેનોમા મોટી હતી.આરતીના જન્મ પછી થોડા સમયમા માતા મૃત્યુ પામી હતી.આરતી પોતાના દાદી સાથે રહેતી અને બીજા ભાઇ બહેન મામાને ત્યાં રહેતા.
ચાર વર્ષની ઉંમરથી ચંપતાલા ઘાટ પર નહાવા જતી ત્યારથી તરવાનુ શીખી ગઇ હતી.આરતીનો આ શોખ જોઇ પિતાએ એને હટખોલા સ્વિમિંગ ક્લબમા દાખલ કરી.માત્ર પાંચ વર્ષની ઉંમરે શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગની સ્પર્ધામા સવર્ણ પદક જીતી.આરતી સાહાની આ પહેલી સફળતા હતી.110 મીટર લાંબી ફ્રી સ્ટાઇલ તૈરાકી કરી હતી.આરતી સાહાની આ શરૂઆત હતી.એ સમયે કોલકત્તા તૈરાકીનુ હબ ગણાતું.ગંગા નદીમા અવાર નવાર સ્પર્ઘા યોજાતી.
ગંગા નદીમાં યોજાતી સ્પર્ધામાં હંમેશા આરતીસાહા ભાગ લેતી. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર બ્રોંજેન દાસ અને મિહિરસેનથી આરતીસાહાને પ્રેરણા મળતી.
ચાર વર્ષથી કરીને 14 વર્ષની ઉમરમાં રાજકીય સ્તરે અને અન્ય પ્રતિયોગિતામાં આરતી સાહાએ ભાગ લીધો. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં 1948 માં 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં રજત પદક મેળવ્યો.બ્રેસ્ટ સ્ટોક સ્ટાઇલમાં તૈરાક છાતીભેર તરે છે,માથુ સતત પાણીથી ઉપર રાખવાનુ હોય છે.ધડ હલાવાનુ નથી હોતુ. જેમ દેડકા પાણીમા તરતા જોવા મળે છે.
આ એક જુની પધ્ધતિ છે.200 મીટર ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય પદક મેળવ્યો.1951માં પશ્ચિમ બંગાળમા માત્ર એક મિનિટમાં 37.6 સેકન્ડમાં 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તરીને અન્ય તરનારી ડોલી નાઝિરનો રેકોર્ડ તોડ્યો.
1952 માં ભારત તરફથી ઓલિમ્પિકમાં ભાગ લીધો.જેમાં ભારત તરફથી ફક્ત ચાર મહિલા હતી અને આરતીસાહા બઘા કરતાઓછી ઉમરવાળી સ્પર્ઘક હતી.
આ ઓલિમ્પિકમાં 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ભાગ લીધો.પણ ભારત પાછા આવ્યા બાદ તેમની બેન ભારતી સાહાએ 100 મીટર ફ્રી સ્ટાઇલની તૈરાકી માં આરતી સાહાને હરાવી દીધી.આ હાર પછી ફક્ત બ્રેસ્ટ સ્ટ્રોક તૈરાકી પર જ ધ્યાન આપ્યું.
ઇગ્લિશ ચેનલ પાર કરવાની પ્રેરણા આરતીને બ્રોંજેનદાસ જે ભારતના પહેલા ઇંગ્લિશ ચેનલ પાર કરનાર હતા,તરફ થી મળી.
આરતી સાહાએ તૈયારી શરુ કરી દીધી.રોજ સવારે કોલેજ જતા પહેલા બે કલાક તરવાનો અભ્યાસ કરતી.પછી દક્ષિણપૂર્વ રેલ્વેમા નોકરી પર જતી.સાંજે ઘરે આવીને ભણતરના પુસ્તકો વાંચતી.રજાના દિવસોમા છૂટક કામ કરી પૈસા ભેગા કરતી.આરતીસાહાને પૈસાની જરૂરત હતી.
હટકોલા સ્વિમિંગ ક્લબના સચિવ ડોક્ટર અરુનગુપ્તા જે પછી આરતી સાહાની સાથે પરણ્યા,અને આ સ્પર્ધામાં જરૂરી નાણાની જોગવાઈ કરવામાં મદદ રૂપ બન્યા.અન્ય તૈરાક અને સામાજિક કાર્યકરે ઘણી મદદ કરી.
ત્યારના મુખ્યમંત્રી બિધાનચંદરરોયે પણ નાણા ભંડોળ આપ્યું.રેલ્વેમા સાથે કામ કરનારા અધિકારીઓએ તરવાના અભ્યાસ માટે વધુ સમય ફાળવી આપ્યો.
ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુજીએ આરતીસાહાના પ્રયત્નને શાબાશી આપી.ત્યાર પછી સતત ટ્રેનિંગ શરુ કરી.
કલકત્તા વિશ્વવિધાલયે ભારત સરકારને ઇંગ્લિશચેનલતૈરાકીપ્રતિયોગિતામા ભાગ લેવા માટે આરતી સાહાનુ સૂચન કર્યુ.
13 એપ્રિલ 1959 માં દેશબંધુ પાર્કના તળાવમાં હજારો સમર્થકો સમક્ષ લગાતાર 8 કલાક તરવાની કલા પ્રસ્તુત કરી.24જુલાઈ 1959ના ઇગલેન્ડ પહોંચી અને ત્યાંથી ડોવર.ત્યાં પણ કલાકોનો અભ્યાસ ચાલુ રાખ્યો.
27 ઓગસ્ટ 1959ના દિવસે બપોરે એક વાગે બુટલીન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ સ્પર્ધા શરુ થઇ.આ ચેનલ દુનિયા ભરના તૈરાક માટે માનીતી છે.
કુલ 58 સ્પર્ધક હતા.જેમાં 5 મહિલા હતી.પણ જોઈએ એવું પ્રદર્શન ના કરી શકી.પણ આરતીએ હાર ન માની. ત્યાર પછી 29 સપ્ટેમ્બર ના બીજા પ્રયાસે સફળતા મેળવી.કેપ ગ્રીસ નેઝ ફ્રાન્સથી શરૂઆત કરી ત્યારે જાણે સાગરની લહેરો આરતીને નિમંત્રણ આપવા આગળ આવી. સાથે ખુલી નાવમા કોચ પણ હતા.
એકાદ કલાક હવામાન શાંત રહ્યું અને સાગરપણ.આરતી મસ્તીમા છપાક છપાક એક જળપરીની જેમ પાણીમા સરતી રહી.અચાનક હવામાન બદલાયું. સાગર ઉછાળા મારવા લાગ્યો અને આરતી આમતેમ ફંગોળાઇ ગયી.શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી.સવારે સાડા પાંચે જળમા તરવાની શરુઆત કરી હતી અને સાંજના સાત વાગવા આવ્યા હતા.અંધારુ ધેરાવા લાગ્યુ હતું.વિપરીત વાતાવરણમા શ્વાસ લેવામા તકલીફ પડતી હતી.નાવમા બેઠેલા કોચને પરિસ્થિતી કહી.કોચે કહ્યું કરો યા મરો.અને ફરી જોશ સાથે આરતી તરવા લાગી.
ચારે તરફ અથાગ અને ઠંડુ જળમા હાડકા તૂટવા લાગ્યા.નાવમા બેઠેલા લોકોએ તો ધાબળા ઓઢ્યા હતા અને નાસ્તા કોફીની લહેજત માણી રહ્યા હતા.
લગાતાર 16 કલાક 20 મીનીટ તૈરાકી કરતી રહી.સામે આવતી દરીયાની ઊંચી લહેરોંનો સામનો કર્યો.સામે પારના દર્શકોએ આરતીના સાહસને હર્ષ ધ્વનિ કરી બિરદાવ્યું.આરતીના હાથ પગમા ચીરા પડી ગયા હતા અને લોહી ટપકતુ હતુ.ખારા પાણીથી જીભ જાડી થઇ ગયી હતી.પણ સફળતાએ સઘળુ ભૂલાવ્યુ. સાહસ અને સંકલ્પની જીત.42 મીલ ની યાત્રા કરી ઇગલેન્ડ પોહચી.ભારત નો ધ્વજ લહેરાવ્યો.વિજયાલક્ષ્મી પંડિત અને જવાહરલાલ નેહરૂએ વધાઈ આપી.30 તારીખે ઓલ ઇન્ડિયા રેડિયો પર આ સમાચાર પ્રસારીત થયા. દુનિયામાં ભારતને ગૌરવ મળ્યું.આ સફળતા માત્ર 19 વર્ષની ઉંમરે મેળવી.
ત્યાર પછી ભારત પરત આવીને પોતાના મેનેજર ડોક્ટર અરુણ ગુપ્તા સાથે વિવાહ કર્યા.અરુણકુમારે વિવાહ પહેલા આરતીને દરેક પ્રયાસોમાં સાથ આપ્યો હતો.આરતી સાથે ઇગલેન્ડ પણ ગયા હતા.એક પુત્રી અર્ચના છે જે રેલ્વેમા કાર્ય કરે છે.
1960 માં પદ્મશ્રી નું સન્માન મેળવ્યું.1998 માં પોસ્ટલ વિભાગે આરતીસાહા ના માનમા પોસ્ટલ ટિકિટ બહાર પડી હતી.
4 ઓગસ્ટ 1994મા કમળાની બીમારીમાં આરતીસાહાનું મૃત્યુ થયું.
63 વર્ષ પહેલા ઇંગલીશ ચેનલ પાર કરવા વળી પહેલી એશિયન મહિલા હતી.
ભારતીય નારીનો મહાન વિજય.
બંગાળના આરતીસાહાએ દરેક અડચણો પાર કરી તરવાની સ્પર્ધામા પ્રથમ આવીને ભારતની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ સ્થાપ્યુ હતુ.
સ્ત્રી હોય કે પુરુષ દરેક ને સફળતા પ્રિય હોય છે.રમતગમત અને અન્ય ક્ષેત્ર ના ખેલાડીઓને સફળતા હાંસલ કરવા ખુબ મેહનત કરવી પડતી હોય છે.છતાંય સફળતા મેળશે ખાત્રી નથી હોતી.પણ છેવટ સુધીનો સંઘર્ષ કરવાની વૃત્તિ મોડી વહેલી સફળતા અપાવે છે.અમુક વર્ષો પેહલા ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રો માટે સુવિધાઓ મળતી નહોતી ત્યારે આરતી સાહાએ આર્થિક અને સામાજિક વિઘ્ન પાર કરી આગવી ઓળખ મેળવી હતી.
આરતી સાહાનો જન્મ 24 સપ્ટેમબર,1940 માં કોલકત્તામાં સાધારણ બંગાળી પરિવારમાં થયો હતો.પિતાનુ નામ પંચુગોપાલ સાહા.ત્રણ સંતાનોમા આરતી બીજુ સંતાન અને બે બહેનોમા મોટી હતી.આરતીના જન્મ પછી થોડા સમયમા માતા મૃત્યુ પામી હતી.આરતી પોતાના દાદી સાથે રહેતી અને બીજા ભાઇ બહેન મામાને ત્યાં રહેતા.
ચાર વર્ષની ઉંમરથી ચંપતાલા ઘાટ પર નહાવા જતી ત્યારથી તરવાનુ શીખી ગઇ હતી.આરતીનો આ શોખ જોઇ પિતાએ એને હટખોલા સ્વિમિંગ ક્લબમા દાખલ કરી.માત્ર પાંચ વર્ષની ઉંમરે શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગની સ્પર્ધામા સવર્ણ પદક જીતી.આરતી સાહાની આ પહેલી સફળતા હતી.110 મીટર લાંબી ફ્રી સ્ટાઇલ તૈરાકી કરી હતી.આરતી સાહાની આ શરૂઆત હતી.એ સમયે કોલકત્તા તૈરાકીનુ હબ ગણાતું.ગંગા નદીમા અવાર નવાર સ્પર્ઘા યોજાતી.
ગંગા નદીમાં યોજાતી સ્પર્ધામાં હંમેશા આરતીસાહા ભાગ લેતી. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર બ્રોંજેન દાસ અને મિહિરસેનથી આરતીસાહાને પ્રેરણા મળતી.
ચાર વર્ષથી કરીને 14 વર્ષની ઉમરમાં રાજકીય સ્તરે અને અન્ય પ્રતિયોગિતામાં આરતી સાહાએ ભાગ લીધો. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં 1948 માં 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં રજત પદક મેળવ્યો.બ્રેસ્ટ સ્ટોક સ્ટાઇલમાં તૈરાક છાતીભેર તરે છે,માથુ સતત પાણીથી ઉપર રાખવાનુ હોય છે.ધડ હલાવાનુ નથી હોતુ. જેમ દેડકા પાણીમા તરતા જોવા મળે છે.
આ એક જુની પધ્ધતિ છે.200 મીટર ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય પદક મેળવ્યો.1951માં પશ્ચિમ બંગાળમા માત્ર એક મિનિટમાં 37.6 સેકન્ડમાં 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તરીને અન્ય તરનારી ડોલી નાઝિરનો રેકોર્ડ તોડ્યો.
1952 માં ભારત તરફથી ઓલિમ્પિકમાં ભાગ લીધો.જેમાં ભારત તરફથી ફક્ત ચાર મહિલા હતી અને આરતીસાહા બઘા કરતાઓછી ઉમરવાળી સ્પર્ઘક હતી.
આ ઓલિમ્પિકમાં 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ભાગ લીધો.પણ ભારત પાછા આવ્યા બાદ તેમની બેન ભારતી સાહાએ 100 મીટર ફ્રી સ્ટાઇલની તૈરાકી માં આરતી સાહાને હરાવી દીધી.આ હાર પછી ફક્ત બ્રેસ્ટ સ્ટ્રોક તૈરાકી પર જ ધ્યાન આપ્યું.
ઇગ્લિશ ચેનલ પાર કરવાની પ્રેરણા આરતીને બ્રોંજેનદાસ જે ભારતના પહેલા ઇંગ્લિશ ચેનલ પાર કરનાર હતા,તરફ થી મળી.
આરતી સાહાએ તૈયારી શરુ કરી દીધી.રોજ સવારે કોલેજ જતા પહેલા બે કલાક તરવાનો અભ્યાસ કરતી.પછી દક્ષિણપૂર્વ રેલ્વેમા નોકરી પર જતી.સાંજે ઘરે આવીને ભણતરના પુસ્તકો વાંચતી.રજાના દિવસોમા છૂટક કામ કરી પૈસા ભેગા કરતી.આરતીસાહાને પૈસાની જરૂરત હતી.
હટકોલા સ્વિમિંગ ક્લબના સચિવ ડોક્ટર અરુનગુપ્તા જે પછી આરતી સાહાની સાથે પરણ્યા,અને આ સ્પર્ધામાં જરૂરી નાણાની જોગવાઈ કરવામાં મદદ રૂપ બન્યા.અન્ય તૈરાક અને સામાજિક કાર્યકરે ઘણી મદદ કરી.
ત્યારના મુખ્યમંત્રી બિધાનચંદરરોયે પણ નાણા ભંડોળ આપ્યું.રેલ્વેમા સાથે કામ કરનારા અધિકારીઓએ તરવાના અભ્યાસ માટે વધુ સમય ફાળવી આપ્યો.
ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુજીએ આરતીસાહાના પ્રયત્નને શાબાશી આપી.ત્યાર પછી સતત ટ્રેનિંગ શરુ કરી.
કલકત્તા વિશ્વવિધાલયે ભારત સરકારને ઇંગ્લિશચેનલતૈરાકીપ્રતિયોગિતામા ભાગ લેવા માટે આરતી સાહાનુ સૂચન કર્યુ.
13 એપ્રિલ 1959 માં દેશબંધુ પાર્કના તળાવમાં હજારો સમર્થકો સમક્ષ લગાતાર 8 કલાક તરવાની કલા પ્રસ્તુત કરી.24જુલાઈ 1959ના ઇગલેન્ડ પહોંચી અને ત્યાંથી ડોવર.ત્યાં પણ કલાકોનો અભ્યાસ ચાલુ રાખ્યો.
27 ઓગસ્ટ 1959ના દિવસે બપોરે એક વાગે બુટલીન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ સ્પર્ધા શરુ થઇ.આ ચેનલ દુનિયા ભરના તૈરાક માટે માનીતી છે.
કુલ 58 સ્પર્ધક હતા.જેમાં 5 મહિલા હતી.પણ જોઈએ એવું પ્રદર્શન ના કરી શકી.પણ આરતીએ હાર ન માની. ત્યાર પછી 29 સપ્ટેમ્બર ના બીજા પ્રયાસે સફળતા મેળવી.કેપ ગ્રીસ નેઝ ફ્રાન્સથી શરૂઆત કરી ત્યારે જાણે સાગરની લહેરો આરતીને નિમંત્રણ આપવા આગળ આવી. સાથે ખુલી નાવમા કોચ પણ હતા.
એકાદ કલાક હવામાન શાંત રહ્યું અને સાગરપણ.આરતી મસ્તીમા છપાક છપાક એક જળપરીની જેમ પાણીમા સરતી રહી.અચાનક હવામાન બદલાયું. સાગર ઉછાળા મારવા લાગ્યો અને આરતી આમતેમ ફંગોળાઇ ગયી.શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી.સવારે સાડા પાંચે જળમા તરવાની શરુઆત કરી હતી અને સાંજના સાત વાગવા આવ્યા હતા.અંધારુ ધેરાવા લાગ્યુ હતું.વિપરીત વાતાવરણમા શ્વાસ લેવામા તકલીફ પડતી હતી.નાવમા બેઠેલા કોચને પરિસ્થિતી કહી.કોચે કહ્યું કરો યા મરો.અને ફરી જોશ સાથે આરતી તરવા લાગી.
ચારે તરફ અથાગ અને ઠંડુ જળમા હાડકા તૂટવા લાગ્યા.નાવમા બેઠેલા લોકોએ તો ધાબળા ઓઢ્યા હતા અને નાસ્તા કોફીની લહેજત માણી રહ્યા હતા.
લગાતાર 16 કલાક 20 મીનીટ તૈરાકી કરતી રહી.સામે આવતી દરીયાની ઊંચી લહેરોંનો સામનો કર્યો.સામે પારના દર્શકોએ આરતીના સાહસને હર્ષ ધ્વનિ કરી બિરદાવ્યું.આરતીના હાથ પગમા ચીરા પડી ગયા હતા અને લોહી ટપકતુ હતુ.ખારા પાણીથી જીભ જાડી થઇ ગયી હતી.પણ સફળતાએ સઘળુ ભૂલાવ્યુ. સાહસ અને સંકલ્પની જીત.42 મીલ ની યાત્રા કરી ઇગલેન્ડ પોહચી.ભારત નો ધ્વજ લહેરાવ્યો.વિજયાલક્ષ્મી પંડિત અને જવાહરલાલ નેહરૂએ વધાઈ આપી.30 તારીખે ઓલ ઇન્ડિયા રેડિયો પર આ સમાચાર પ્રસારીત થયા. દુનિયામાં ભારતને ગૌરવ મળ્યું.આ સફળતા માત્ર 19 વર્ષની ઉંમરે મેળવી.
ત્યાર પછી ભારત પરત આવીને પોતાના મેનેજર ડોક્ટર અરુણ ગુપ્તા સાથે વિવાહ કર્યા.અરુણકુમારે વિવાહ પહેલા આરતીને દરેક પ્રયાસોમાં સાથ આપ્યો હતો.આરતી સાથે ઇગલેન્ડ પણ ગયા હતા.એક પુત્રી અર્ચના છે જે રેલ્વેમા કાર્ય કરે છે.
1960 માં પદ્મશ્રી નું સન્માન મેળવ્યું.1998 માં પોસ્ટલ વિભાગે આરતીસાહા ના માનમા પોસ્ટલ ટિકિટ બહાર પડી હતી.
4 ઓગસ્ટ 1994મા કમળાની બીમારીમાં આરતીસાહાનું મૃત્યુ થયું.
63 વર્ષ પહેલા ઇંગલીશ ચેનલ પાર કરવા વળી પહેલી એશિયન મહિલા હતી.
ભારતીય નારીનો મહાન વિજય.